બેંકમાં અનેક પ્રકારના ખાતાઓ હોય છે. દરેક ખાતાઓને પોતાના અલગ અલગ વ્યાજદર અને જમા-ઉપાડના નિયમો અને તેમાં પૈસા રોકવાના અમુક ઉદ્દેશો હોય છે. જે નીચેના કોષ્ટકમાં આપેલ છે.
ખાતાનો પ્રકાર
|
વ્યાજદર
|
જમા-ઉપાડના નિયમો
|
ન્યૂનતમ બેલેન્સ
|
વિશેષ માહિતી અને વપરાશનો ઉદ્દેશ
|
ચાલુ ખાતું
|
શૂન્ય
|
અસીમિત જમા અને ઉપાડ
|
કોઈ નિયમ નથી
|
·
આવા ખાતાઓ મોટાભાગે સંસ્થા કે વેપારીઓ પાસે હોય છે.
·
રોજના લાખો-કરોડો રૂપિયાની લેવડ દેવડની છૂટ આપવામાં આવે
છે.
·
આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ: અમર્યાદિત પૈસા સાચવવા
અને તેને ઈ-કોમર્સમાં વાપરવા
|
બચત ખાતું
|
સૌથી ઓછુ
|
બે કે અઢી લાખ સુધીની લેવડ દેવડ કે જમા ઉપાડ
|
અંદાજે બે થી પાંચ હજાર
|
·
આ ખાતાઓ સામાન્ય માણસો
પાસે હોય છે.
·
ન્યૂનતમ બેલેન્સ કરતાં નીચે બેલેન્સ જાય તો ચાર્જ લાગી
શકે છે.
·
આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ: અમુક મર્યાદિત પૈસા
સાચવવા અને તેને ઈ-કોમર્સમાં વાપરવા
|
બાંધી મુદત ખાતું/ફિક્સ ડિપોઝીટ
|
બચત ખાતાથી
બે ગણું
|
ફક્ત એકવાર જમા
પાકતી તારીખે ઉપાડ
|
બેંકના નિયમ મુજબ
|
·
આ ખાતામાંથી પાકતી તારીખ પહેલા પૈસા જોતા હોય તો તેને
સંપૂર્ણપણે બંધ કરવું પડે છે. તેના પર થોડો ચાર્જ પણ લાગે છે.
·
આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ:
o
ચોક્કસ સમય માટે પૈસાની બચત કરવા.
o
વધુ વ્યાજ મેળવવા.
|
આવર્તી જમા ખાતું/રીકરીંગ ડિપોઝીટ
|
ફિક્સ ડિપોઝીટથી થોડું ઓછુ/ જેટલું
|
દર મહીને ચોક્કસ રકમ જમા
પાકતી તારીખે ઉપાડ
|
બેંકના નિયમ મુજબ
|
·
જે રકમ દ્વારા ખાતું ખોલાવ્યું હોય, તેટલી જ રકમ દર મહીને
આ ખાતામાં જમા કરવાની હોય છે.
·
આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ:
o
દર મહિનાની આવકમાંથી અમુક ચોક્કસ રકમની બચત કરવા.
o
આ બચત પર વધુ વ્યાજ મેળવવા.
|
ફલેકસી રીકરીંગ
|
ફિક્સ/ રીકરીંગ ડિપોઝીટથી થોડું ઓછુ/ જેટલું
|
એક વર્ષમાં ન્યૂનતમ અને મહત્તમ વચ્ચેની રકમ
ગમે ત્યારે અને ગમે તેટલી વખત જમા
પાકતી તારીખે માત્ર એક જ વખત ઉપાડ
|
બેંકના નિયમ મુજબ
|
·
આ ખાતામાં ન્યૂનતમથી ઓછી રકમ જમા કરવા પર ચાર્જ લાગે છે.
·
મહત્તમથી વધુ રકમ જમા કરી શકાતી નથી.
·
આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ:
o આવકમાંથી
ક્યારે અને કેટલી બચત કરવી તેમજ આવકની સીમા અને આવકની તારીખ નક્કી ન હોય તેવા
સંજોગોમાં બચત કરવા.
o આ બચત પર વધુ
વ્યાજ મેળવવા.
|
ઋણ ખાતું/ લોન ખાતું
|
સૌથી વધુ
|
શરૂઆતમાં એક જ વખત ઉપાડ
ગમે તેટલી વખત (ઓછામાં ઓછુ મહિનામાં એક વખત)
જમા
|
-------
|
·
બેંક પાસે પૈસા જમા પડ્યા હોય તેને તે બે-ત્રણ ટકા વધુ
વ્યાજ સાથે લોન તરીકે આપે છે અને તેમાંથી જ તેની કમાણી થાય છે.
·
લોન આપતા પહેલા જે તે વ્યક્તિની આવકને ખાસ જોવામાં આવે
છે. વળી, તે વ્યક્તિ પાસે બેંકનું ચાલુ/બચત ખાતું પણ હોવું જોઈએ.
·
દર મહીને ચાલુ/બચત ખાતામાંથી અમુક રૂપિયા EMI તરીકે કપાય છે.
·
જો પૈસાની સગવડ હોય તો એકસાથે વધુ રૂપિયા લોન ખાતામાં
ટ્રાન્સફર કરીને વ્યાજનો દર ઘટાડી શકાય છે.
·
આ ખાતાના વપરાશનો ઉદ્દેશ:
o પૈસાની જરૂર
હોય તો બેંક પાસેથી પૈસા વ્યાજે લેવા.
|
No comments:
Post a Comment